ताज़ा ख़बरें

પાંચ વર્ષ પહેલાના કેસમાં કોર્ટનો ચુકાદો

અમરેલીમાં યુવાનની હત્યા મામલે આરોપીને આજીવન કેદની સજા

મુળ પોરબંદરના વતની અને હાલ રાજકોટ રહેતા એક યુવક પોતાના મિત્ર સાથે પાંચ વર્ષ પહેલાં અમરેલી આવ્યો ત્યારે તેમના જ મિત્રએ કોઈ કારણોસર હત્યા કરી નાખી હતી. આ અંગેનો કેસ અમરેલીની પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટમાં ચાલી જતા અમરેલીના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજે આરોપીને આઈ.પી.સી. ૩૦૨ માં કસુરવાર ઠરાવી આજીવન કેદની સજા ફટકારી હતી. જ્યારે અન્ય બે આરોપીઓને નિદીષ જાહેર કરેલ હતા.

 

રાજકોટ રહેતો મૂળ પોરબંદરનો વતની યુવક મિત્ર સાથે અમરેલી આવ્યો’તો, અન્ય બે આરોપી નિર્દોષ જાહેર

 

મુળ પોરબંદરનો વતની અને હાલ | રાજકોટ ગામે રહેતો દિનેશભાઈ | સાકરીયા નામનો ૨૮ વર્ષિય યુવક ગત તા. ૨૫/૨/૨૦ ના રોજ સાંજના આશરે સાડા સાતેક વાગ્યે મિત્ર બીલાલ સાથે કોઇ કામ સબબ અમરેલી આવેલ હતો. ત્યારે તેમને કોઈ અજાણ્યા ઈસમ સાથે| કોઇ કારણસર માથાકુટ થતા અમરેલીમાં જુમ્મા મસ્જીદ પાસે કોઇ અજાણ્યા માણસે મયુર દિનેશભાઈ સાકરીયાને કોઈ હથિયાર કે, વસ્તુથી માથાના ભાગે, બેઠકના ભાગે, તથા સાથળના ભાગે

 

માર મારી ગંભીર ઈજા કરી મોત નિપજાવી દીધું હતું.

 

આ અંગેનો કેસ ચાલી જતાં સરકારી | વકીલ મમતાબેન ત્રિવેદીની દલીલોને માન્ય રાખી પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ | રીઝવાના બુખારીએ આરોપી મુરતજા ઉર્ફે બીલાલ સિકંદરભાઈ રાવડાને | આઈ.પી.સી. ૩૦૨ માં કસુરવાર ઠરાવી | આજીવન કેદની સજા તથા રૂપિયા ૫ હજારના દંડની સજા ફટકારી હતી. જ્યારે આ બનાવના અન્ય બે આરોપીને નિદીષ | છોડી મુકવા હુકમ કયો હતો.

Show More
Back to top button
error: Content is protected !!